તાજી તાડી તંદુરસ્તી માટે સારી છે , વાસી નશો કરે છે
@jaydaima__4 ай бұрын
ha moj😂😂
@desingrathva20555 ай бұрын
પારકાનાં કાલ્પનિક દેવી દેવતાનાં ફોટા જેનો આપણા સમાજનાં ઈતિહાસ સાથે કોઈ લેવા દેવા નથી એને ઘરમાં રાખીને આપણા સમાજનો કોઈ ઉદ્ગાર થવાનો નથી.આપણા પૂર્વજનાં પૂર્વજો આમાંથી પસાર થઈ ગયા પણ કોઈનો ઉદ્ગાર થયો હોય સમાજ દરેક રીતે સમૃદ્ધ થયો હોય એવો કોઈ પૂરાવો આજ લગી મળ્યો નથી અને મળશે પણ નહીં. આપણે આપણા ઘરમાં જેનો આપણા સમાજ, આપણી સંસ્કૃતિ સાથે કોઈ મતલબ નથી એવા કાલ્પનિક દેવી દેવતાનાં ફોટાઓ મૂકી રાખીએ છીએ અને આદરપૂર્વક આપણે સવાર સાંજ પગે પણ લાગીએ છીએ.આપણી કુળદેવી આપણા દેવતાઓની ઉજળિયાતનાં ઘરમાં કયારેય પુજાતા જોયા છે? જવાબ છે નહીં.તો શું કામ બીજાનાં દેવી દેવતાની પૂજા કરવાની?જયાં આપણી કદર થતી નથી જયાં આપણા દેવી દેવતાનું અપમાન થતું હોય એવી જગ્યાએ આપણે જવાની જરુરી નથી.શું આપણો ઈતિહાસ નથી?શું આપણી સંસ્કૃતિ નથી? આપણો પણ ગૌરવશાળી ઈતિહાસ છે.બીજાનાં ઈતિહાસ પાછળ ગાંડા થઈશું તો આપણો ગૌરવશાળી ઈતિહાસ દબાઈ જશે.એ સત્ય પણ આપણે સૌએ યાદ રાખવું પડશે.આપણે વર્તમાન સમયમાં આ બધું જોઈ જ રહ્યા છીએ.નહીં તો આપણા સમાજની અનાથ બાળકો જેવી સ્થિતિ બની જશે અને હાલ બની જ રહી છે.જેમ બને એમ સમાજને બચાવીએ અને બહારનાં આક્રમણથી બચાવીએ..