Рет қаралды 289
#dhirendrakrishnashastri #divyadarbar #bageshwardham
#purushottamdham #gurupurnima #ghuma
ગુરુ પૂર્ણિમા | પુરુષોત્તમ ધામ | ગંગા ગૌરી ગૌશાળા | પુરુષોત્તમ લાલજી મહારાજ | ન્યુ આનંદ આશ્રમ | ઘુમા
અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના ઘુમા ગામે ચાલતા ‘પુરુષોત્તમ ધામ’ અને ‘ન્યુ આનંદ આશ્રમ’ પુ.બાપુશ્રીના કૃપાપાત્ર શિષ્યો-ભક્તોએ બનાવેલા આશ્રમો પૈકીના એક વિશાળ સંકુલન છે, જ્યાં ‘ગંગા ગૌરી ગૌશાળા’ના નામે ૬૦થી વધુ ગૌમાતાઓની સેવા થાય છે. જેમના ચાલીસ લાખથી વધુ શિષ્યો છે, જેમના ભક્તોએ-શિષ્યોએ બનાવેલા ચાર વિશાળ આશ્રમોમાં ગૌસેવાની પ્રવૃત્તિને પ્રાધાન્ય અપાયું છે, અન્નક્ષેત્રો ચાલે છે, માનવ કલ્યાણની વિવિધ પ્રવૃત્તિઓ ચાલે છે, જેમના એક વખતના શિષ્યમાં સરખેજ-જુનાગઢના ભારતી આશ્રમના શ્રી શ્રી ૧૦૦૮ પૂજ્યપાદ સ્વામી વિશ્વંભર ભારતીજી મહારાજ પણ કૃપાપાત્ર શિષ્ય હતા. જેમને બ્રહ્નચર્યવૃતની દીક્ષા પુ.પુરુષોત્તમ લાલજી મહારાજશ્રીએ જ આપી, સાધુતાના માર્ગે અરણેજથી લઇ જઇ, પોતાની સાથે જ ભ્રમણમાં વર્ષો સુધી સાથે રાખ્યા હતા. એવા ધર્મસેવાલંકાર બ્રહ્નસ્વરૂપ પુ.પુરુષોત્તમ લાલજી મહારાજનો અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના ઘુમા ગામે ચાલતા ‘પુરુષોત્તમ ધામ’ અને ‘ન્યુ આનંદ આશ્રમ’ પુ.બાપુશ્રીના કૃપાપાત્ર શિષ્યો-ભક્તોએ બનાવેલા આશ્રમો પૈકીના એક વિશાળ સંકુલન છે, જ્યાં ‘ગંગા ગૌરી ગૌશાળા’ના નામે ૬૦થી વધુ ગૌમાતાઓની સેવા થાય છે, આશ્ચર્યની વાત તો એ છે કે વર્ષોથી ચાલતી આ ગૌશાળા માટે ખેતીલાયક કોઇ જમીન પણ નથી, ગૌચર પણ નથી, છતાંય શિષ્યો-ભક્તો અને દાતાઓની કૃપાથી આ ગૌશાળાના ઘાસચારાનું ગોડાઉન ભરચક રહે છે, ફંડ ફાળા કે ઉઘરાણી માટે કોઇ પણ સંચાલકો બહાર ક્યાંય જતા નથી. પુ.બાપુશ્રીની કૃપાથી ઘેર બેઠા જ ગંગા વહેતી જણાય છે. પુ.પુરુષોત્તમ લાલજી મહારાજનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી પાસેના શાપર ગામે, ઔદિચ્ય બ્રાહ્નણ જ્ઞાતિના મહેતા કુળમાં આજથી ૯૦ વર્ષ પહેલાં ફાગણ વદ એકમ (ધુળેટી)ના દિવસે થયો હતો. પિતા વિશ્વનાથ અને માતા રેવાબાની કૂખે અવતરેલા આ મહાપુરુષના બચપણથી જ પોતાનાં માતા-પિતાની આજ્ઞાઓને શિરોમાન્ય માનતા અને એ કારણે જ ૧૮ વર્ષની વયે શિક્ષક તરીકેની નોકરી સ્વીકારી, થોડા દિવસો પછી રાજીનામું આપી, પાટડી સ્ટેટના લીંબડ ગામે હવાલદાર તરીકેની નોકરી સ્વીકારી. એ વખતે વિરમગામ તાલુકાના વનથળથી ૬ કિ.મી. દૂર વિટ્ઠલગઢ ગામે ફોજદારી કારકુન તરીકે ગયા. એ વખતે ત્યાંના રાજા મહારાષ્ટ્રના બ્રાહ્નણ હતા. બાર ગામ તેમના તાબામાં હતાં. ત્યાંની પ્રજા ઉપર રાજાનો જુલમ હતો. એક વખત ઘઉંની સિઝન આવી, ખેડૂતોને ત્યાં ખૂબ ઘઉં પાક્યા, રાજાએ હુકમ કર્યો, ‘પુરુષોત્તમ, ખેડૂતોની કોઠીઓમાંથી ઘઉં કાઢી લઇ, રાજ્યના કોઠારમાં પડેલી સડેલી જુવાર ખેડૂતોને આપી દો...! પ્રજાને સારું અન્ન ખવડાવાય નહીં...!’ ‘હું બ્રાહ્નણ છું અને ગરીબોની હાય લાગે એવું કામ મારાથી થાય નહીં’ તેમ અંતરઆત્માનો અવાજ આવતા પુ.બાપુશ્રી કહે છે કે, ‘મારો સંસાર પ્રત્યેનો મોહ ઊતરી ગયો, ફોજદારીનો પટ્ટો પછાડીને નોકરીનો ત્યાગ કર્યો. સંત બીજ પલટે નહીં, જુગ જુગ જાય અનંત, ઊંચ-નીચ ઘર અવતરે, પણ આખર સંતનો સંત...!’ આમ વિચારી આ જન્મનો અધૂરો યુગ પૂરો કરવા, સર્વસ્વ છોડી, આત્મકલ્યાણ અર્થે-પ્રભુને પામવા સદગુરૂની શોધમાં ગિરનારની ગોદમાં જઇ ચડ્યા. સીતાવન અને ભરતવનની વચ્ચે વેલાઓ, કંદમૂળ, પાંદડાંઓ ખાઇ દિવસો વિતાવ્યા...આ દરમિયાન એક ગુફા દેખાઇ, જ્યાં એક તપસ્વી વયોવૃદ્ધ સંત બેઠેલા, કપાળમાં સૂર્યનારાયણ જેવું પ્રખર તેજ, મેં પ્રણામ કર્યા. તેઓશ્રીએ તુરંત જ મારું અને મારા ગામનું નામ સંબોધી કહ્યું, ‘આવ ભાઇ આવ...ગુરુની શોધમાં નીકળવાની કે ગુરુમંત્ર લેવાની તારે જરૂર નથી, અત્યારે ઘોર કળિયુગ ચાલે છે, ચારે બાજુ ધર્મનું અધ:પતન થઇ રહ્યું છે, સમય ખૂબ કપરો છે. ગામે ગામ ભ્રમણ કરી સનાતન ધર્મનો પ્રચાર કર. લોકોને સાચા માર્ગે વાળ. વ્યસનમાંથી મુક્તિ અપાવ. સ્વ ઉદ્ધારને બદલે પર ઉદ્ધાર કરી જીવન સફળ કર..!’ બીજા જ દિવસે રાત્રે સાક્ષાત્ ગુરુ દત્તાત્રેય ભગવાને દર્શન દીધા અને એ પણ સાધુ સ્વરૂપે જ. કહ્યું, ‘કેમ હજુ ભટક્યા કરશ?’ અને એ જ ક્ષણે ગિરનાર છોડી હું વતન આવ્યો વનથળ. જ્યાં ઘરે નહીં, પણ એક ખેતરમાં એકાંતવાસે ઝૂંપડી બનાવી ૧૨ મહિનામાં ૧૧ મહિનાનું ભ્રમણ કરવાનો સંકલ્પ કર્યો. પહેલો જ સંકલ્પ એક લાખ રૂપિયાના ખર્ચે એક અતિરુદ્ર મહાયજ્ઞ કરવાનો પ્રથમ સંકલ્પ. ખિસ્સામાં-ઝોળીમાં એક પાઇ પણ નહીં અને સં ૨૦૦૯નો એ દિવસ, એક વર્ષના અથાગ પ્રયાસ પછી સંવત ૨૦૧૦માં આ અતિરુદ્ર મહાયજ્ઞ સફળ થયો, જગતગુરુ શંકરાચાર્યજીએ હાજર રહી, શ્રી ૧૦૮ની પદવી આપી..!’ પુ.બાપુ કહે છે કે, ગૌદાન જેવું બીજું કોઇ મહાદાન નથી અને ગૌસેવા જેવી બીજી કોઇ શ્રેષ્ઠ સેવા નથી. ગૌદાન કરવાથી મોક્ષ, સંતોષ, મનને શાંતિ, રોગોમાં મુક્તિ ઉપરાંત અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે, ધનમાં વૃદ્ધિ થાય છે, દુ:ખ દર્દ દૂર થાય છે, તાપ-સંતાપ દૂર થાય છે અને ગૌસેવા કરવાથી મન, પૂર્વજ, પૃથ્વી, માતા-પિતા, પ્રકૃતિ આત્મા, પરિવાર, પ્રારબ્ધ, પરમાત્મા અને લક્ષ્મીજી તથા ગુરુજી પ્રસન્ન થાય છે એમ વેદ પુરાણો કહે છે.
Like, Share and Subscribe my KZbin channel "BittooMasterVLOGS"
Contact me on
Email id : pankaj.panchal.lotus@gmail.com
Facebook Page : / deeppanchalbittoomaster
Instagram: / bittoomaster
Thank You So Much.
------------------------------------------------------------------------
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'Fair Use' for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research, Fair use is a permitted by copyright statute that might otherwise be infringing, Non-profit, educational or personal use tips the balance in favor of fair use.