Рет қаралды 273
આજરોજ સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે "આપ"નેતા રાજુભાઈ કરપડા ના નેતૃત્વમાં અમૃતભાઈ મકવાણા પર થયેલ ખોટી FIR ના વિરોધમાં આક્રમક રજૂઆત કરવામાં આવી..
ખોટી રીતે જેના પર ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે એવા "આપ" ના નેતા અમૃતભાઈ મકવાણાને ગોપાલભાઈ ઇટાલીયા દ્વારા ખંભા પર બેસાડી વાજતે ગાજતે પોલીસ સ્ટેશન હાજર કરવામાં આવ્યા પરંતુ આજે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી નથી અને જવા દેવામાં આવ્યા.
આ તકે રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલીયા, જિલ્લા ટીમ,તાલુકા ટીમ સાથે સામાજિક આગેવાનો અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..