Рет қаралды 2,327
#મીરજાપરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી પકડાયા બાદ ખાનગી હોસ્પિટલમાં પોલીસ જાપતા દરમિયાન મૃત્યું પામ્યો...
#બે દિવસ અગાઉ ભુજની ભાગોળે આવેલ મીરઝાપર ગામમાંથી એક સગીરાનું અપહરણ કરીને મુંબઈ ભાગી જવાની પ્રેરવી કરતા આરોપી અને સગીરાને ગાંધીધામ રેલવે સ્ટેશનથી પકડી પાડવામાં આવ્યા બાદ સગીરાને રાત્રે તેમના વાલીઓને સુપ્રત કરાયા બાદ આરોપીને પોલીસ કબજામાં રખાયો હતો એ દરમિયાન પોતાની સાથે રાખેલ કોઈ ઝેરી પ્રવાહી આરોપી સુખદેવસિંહ દાદુભા પઢીયાર લોકઅપમાં નજર ચૂકવીને પી લીધા બાદ તકલીફ થતા તેને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેણે પોતાના હાથે થઈ ગયેલા કૃત્યથી પિતાની બદનામી થશે તેમ માનીને ઝેરી દવા પીધાનું જણાવતા તેને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો એ દરમિયાન તેને વધુ સારવાર માટે ભુજની ખાનગી એવી એકોર્ડ હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયું હતું. ભુજ એ/ડિવિઝન પી.આઈ., જે.વી. ધોળાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આરોપીને ગાંધીધામ ખાતેથી રાત્રે 1:30 વાગે પકડી પાડવામાં આવ્યો હતો અને સગીરા તથા આરોપીને ભુજ લવાયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી આ દરમિયાન આરોપીએ પોલીસ કર્મચારીઓની નજર ચૂકવી પોતાની પાસે રહેલ કોઈ ઝેરી પ્રવાહી પી લીધું હતું જોકે તેમ છતાં તેની તબિયત સુધારા પર હતી પરંતુ એકા એક તેને હૃદય રોગનો હુમલો આવતા તેનું મોત નીપજ્યું છે. દરમિયાન સગીરાની મેડિકલ તપાસણી દરમિયાન તેની સાથે આરોપીએ શરીર સંબંધ બાંધવાની હકીકત પણ સામે આવતા આરોપી મૃતક સામે દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.
નાની અને કુમળી વયમાં બંધાઈ જતા કથિત પ્રેમ સંબંધ ના કેવા પરિણામો આવી શકે તેનું આ ઉદાહરણ છે આ ઘટના સૌ કોઈ માટે આંખ ઉઘાડનારી છે જોકે આરોપી યુવાન એટલે કે 22 વર્ષનો હતો પરંતુ તેનું આ વિચારે આ વગરનું પગલું તેના માટે પ્રાણ ઘાતક સાબિત થયો છે.