Рет қаралды 1,218
ઘેરિયા નૃત્યમાં આદિવાસીઓ પરંપરાગત રીતે મલ્લિ માતાનું પૂજન કર્યા બાદ ઘેર રમવા નીકળે છે. જેને આદિવાસીઓ અનેક સારા નરસા પ્રસંગોમાં માતાના આશીર્વાદ તરીકે પણ જોતાં હોય છે. દિવાળીના તહેવારોમાં લોકો સામેથી ઘેરિયાઓને પોતાના ઘરે તેમજ ઓફિસ દુકાને બોલાવીને ઘેર રમાડતા હોય છે. જેને લઈને ઘેરિયાઓને આર્થિક લાભ પણ થતો હોય છે.
આદિવાસી સંસ્કૃતિમાં પ્રકૃતિ પૂજન તેમજ ગીત, સંગીત સાથે વિવિધ નૃત્યોનું મહત્વ છે. આદિવાસીઓ જન્મથી લઈ મૃત્યુ સુધી પારંપરિક વાદ્યોના તાલે ગીત ગાતા ગાતા નૃત્ય કરે છે અને દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા આરાધના કરતા હોય છે. ત્યારે આધુનિકતાની દોડમાં આદિવાસીઓનું ઘેરૈયા નૃત્ય વિસરાતું જતું હોવાથી ઝરી ગામના યુવાનો દ્વારા ઘેરૈયા નૃત્યને જીવિત રાખવા છેલ્લા કેટલાક વર્ષોથી ઘેરૈયા નૃત્ય આયોજિત કરાયુ હતું. વિસરાતા જતા ઘેરૈયા નૃત્યને નવજીવન બક્ષવાનું કામ કરી રહ્યા છે.
આદિવાસી સમાજની પરંપરાને ટકાવી રાખવા માટે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઝરી ગામ તથા આજુ બાજુના વિસ્તારના યુવાનો દ્વારા આ ઘેરીયા નૃત્યના નું નાચ- ગાન કરવામાં આવ્યું છે,પ્રાચીન સંસ્કૃતિ એ સમાજનો પ્રાણ છે, સમાજની ઓળખ છે, ભુલાઈ રહેલી સંસ્કૃતિ અને વારસો અસ્મિતાને ગુમાવી રહ્યા છે ત્યારે સમાજને ઓળખ સમા ધેરીયા નૃત્યને ટકાવી રાખવા માટે ઝરી ગામ તથા આજુ બાજુના ગામનાં યુવાનો દ્વારા આ ઘેર નૃત્યના સાસ્કૃતિક ધરોહરને બચાવવાની દિશામા પગલુ ભર્યુ છે.
ઘેરૈયા મંડળીમાં માત્ર પુરુષો જ હોય છે. જેઓ ઘરના આંગણે આવીને ગરબા રમે છે,
આસો મહિનામાં લોકો ધીમે-ધીમે ખેતીના પાકની કાપણીનું કામ પુર્ણ કરે છે. એટલે પાક ઉતારવાનો આનંદ પણ આદિવાસી ખેડૂતોમાં બેવડાય છે. આ આનંદ અને આરાધનાના સંયોગને આદિવાસી સમાજ દેવ-દેવીઓ સમક્ષ ઘેરનૃત્યના માધ્યમથી વ્યક્ત કરે છે. ઘેરૈયા ટુકડીમાં મહિલાઓ નથી હોતી. પુરુષો જ સ્ત્રીનો વેશ ધારણ કરે છે. ઘેરૈયાનો વેશ અર્ધનારેશ્વર જેવો હોય છે. તેમણે વધુમાં કહયું કે, ઘેરૈયા નૃત્ય માત્ર શક્તિની આરાધના જ નહી કોઇના મૃત્યુ સમયે, બાળક જન્મ સમયે અથવા નાના બાળકને ઘોડીએ ચડાવીને ઘેર ગવડાવવામાં આવે છે.મંડળીના દરેક સભ્યોએ નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. જેમાં બ્રહ્મચર્ય પાલન, માસાંહાર ત્યાગ, મંદિરાનું સેવન નહી કરવું. ટુકડીના નાના આદેશોનું પાલન કરવાનું હોય છે. જે બક્ષિસ મળે તે લઇએ છીએ સામેથી ક્યારેય માંગતા નથી. ઘેર છોડવામાં આવે અને જે બક્ષિસ એકત્ર થાય તે ગામમાં દેવસ્થાન માટે અથવા તો ગામના સાર્વજનિક કામ માટે વાપરવામાં આવે છે.ત્યારે પ્રાચીન સંસ્કૃતિ એ સમાજનો પ્રાણ છે, સમાજની ઓળખ છે, ભુલાઈ રહેલી સંસ્કૃતિ અને વારસો અસ્મિતાને ગુમાવી રહ્યા છે ત્યારે સમાજને ઓળખ સમા ધેરીયા નૃત્યને ટકાવી રાખવા માટે ઝરી ગામના ઘેરિયાં સાસ્કૃતિક ધરોહરને બચાવવાની દિશામા પગલુ ભર્યુ છે.
Instagram
bhargav_roxy_47...