Рет қаралды 3,806
જામીન ની રકમ ન હોવાથી પોરબંદર ની ખાસ જેલ માં દસ મહિના થી બંધ રહેલા કેદી ને સરકારી સહાય ની યોજના નો લાભ મળતા તેને જેલમુક્તિ મળી છે
જેલમાં કેટલાય એવા જરૂરિયાત મંદ કેદીઓ હોય છે કે જે દંડની રકમ અથવા તો જામીનની રકમ ભરી શકતા નથી અને તેના પરિણામે આર્થિક સંકટ જેવા કારણોને લઈ જેલમાં બંદીવાન રહેવું પડતું હોય છે જામીન પાત્ર ગુન્હા હોવા છતાં ન છુટકે આવા કેદીઓ ને લાંબા સમય સુધી જેલ માં રહેવું પડતું હોય છે આવા લોકો માટે સરકારે સહાય યોજના અમલમાં મૂકી છે અને આ યોજના અંતર્ગત જ પોરબંદરની ખાસ જેલમાંથી એક વૃદ્ધ કેદીને જેલ મુક્તિ મળી છે પાંચા રામ સોલંકી નામના કેદી છેલ્લા દસ મહિનાથી હત્યાના પ્રયાસ ના ગુનામાં પૈસાના વાકે જેલમાં સબડી રહ્યા હતા ત્યારે સરકારી સહાયની યોજના નો લાભ લઈ અને તેઓ જેલ મુક્ત થયા છે જેના પગલે કેદી માં ખુશી જોવા મળતી હતી