Рет қаралды 759
નવરાત્રિના દિવસોમાં માં જગદંબાની ઉપાસના માટે ગ્રામીણ સમાજમાં કુંવારિકાઓ દ્વારા ગરબો કરવામાં આવે.છે. આ ગરબો ઘેર ઘેર લઈને ફરે છે અને સાથે ગીતો ગવાય છે. બદલામાં ગરબાના દીપકમાં ઘી કે તેલ પૂરાવવામાં આવે છે. દશેરાના દિવસે કુંવારિકાઓને પૈસા કે ઘઉં, બાજરીના દાણા આપીને સાંસ્કૃતિક ઉત્સવને ઉજવે છે.
ગરબાનું દર્શન મહત્વનું છે. આજે ગરબો પ્રદર્શનિય બનતો જાય છે. પણ ગ્રામજીવને આ ગરબાની અસલિયત ટકાવી રાખી છે. આજે પણ ગામડાઓમાં ચાચરચોકમાં માં નવદુર્ગાની ગરબી મૂકી, પરંપરાગત ગરબા ગવાય છે. પુરુષો સમૂહમાં તેની ફરતે નૃત્ય કરે છે.
જોકે હવે લાઉડ સ્પીકરનો ઘોંઘાટ અને પ્રદર્શન વધતું જાય છે. તેવા સમયે આ બલિકાઓને ગરબો લઈને ફરતી અને ગીતો ગાતી જોઈને થાય છે કે આવતી કાલ હજુ ઉજ્જ્વળ છે. બધું આથમી નથી ગયું.