Рет қаралды 10,735
વ્હાલા ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ...
તારીખ:- ૫ મી એપ્રિલ ૨૦૨૪ અને શુક્રવારના રોજ ફાગણ વદી પાપમોચની એકાદશી ઉપવાસ છે. લોમશ ઋષિ અને માંધાતા રાજા ના સંવાદ રુપે જે આખ્યાન શ્રીકૃષ્ણ ભગવાને યુધિષ્ઠિર રાજાને કહ્યું હતું તે આખ્યાન આપણે આ વીડીઓ મા સાંભળીએ. કામનાઓને પૂરનારી, સિદ્ધિઓને દેનારી, વિચિત્ર પ્રકારની કલ્યાણ કરનારી, પાપનો નાશ કરનારી અને ધર્મને દેનારી એવી પાપમોચની એકાદશી છે. જે માણસો આ મૃત્યુલોકને વિષે પાપમોચની એકાદશીનું વ્રત કરે છે, તેઓનું જે કંઈ પાપ હોય છે તે સર્વ નાશ પામે છે. આ પાપમોચની એકાદશીની કથાનો પાઠ કરવાથી અથવા આ એકાદશીની કથા સાંભળવાથી હજારો ગાયો દીધાનું ફળ માણસ પામે છે.
વળી બ્રાહ્મણનો હણનારો, સોનાનો ચોરનારો, મદીરાનો પીનારો અને ગુરુની સ્ત્રી સાથે ગમન કરનારો પણ આ એકાદશીનું વ્રત કરવાને લીધે, એ સર્વ પાપોથી મુક્ત થાય છે. પંચાંગ અનુસાર, ચૈત્ર મહિનાના શુકલ પક્ષની એકાદશી 4 એપ્રિલે સાંજે 04:14 કલાકે શરૂ થશે અને બીજા દિવસે 5 એપ્રિલે બપોરે 01:28 કલાકે સમાપ્ત થશે. ઉદયા તિથિના કારણે 5 એપ્રિલે પાપમોચની એકાદશી ઉજવવામાં આવશે. આ દિવસે વિશ્વના રક્ષક ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે. પાપમોચની એકાદશીના પારણા એટલે કે ઉપવાસની સમાપ્તિ, શનિવાર, 6 એપ્રિલ, 2024 ના રોજ સવારે 6:43 થી 8:51 વચ્ચે કરવામાં આવશે. આ સમયે તમે વ્રત તોડી શકો છો.
#swaminarayanbhagwan #baps #swaminarayancharitra #swaminarayanaarti #swaminarayankatha #bhajan #ekadashimahima #spiritual #aavosatsangma #ekadashi2024 #papmochaniekadashi2024 #papmochani #papmochaniekadashi #ekadashi2024katha #ekadashiupay #ekadashivratkatha #ekadashirangoli #ekadashivarta #papmochniekadashivratkathagujarati #papmochiniekadashivratkatha #papmochiniekadashimahimamuhurat #swaminarayansampraday #vadtal #vadtaldham #shorts #kalupur #swaminarayanvadtalgadi #ramayan #rammandir #kashtabhanjandev #salangpur #krishna #krishnabhajan