Рет қаралды 2,229
#નરનારાયણ દેવ દ્વિસ્તાબદી મહોત્સવ બે કિમિ લાંબી ભવ્ય પોથી યાત્રા આકર્ષણનું કેન્દ્ર બની...
#સ્વામિનારાયણ મંદિર દ્વારા શ્રીનરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની પૂર્વ સંધ્યાએ 2000 પોથી સાથે વાજતે ગાજતે નીકળેલી પોથીયાત્રા...
#કેન્યા, યુકેની બેન્ડપાર્ટીઓએ રંગ જમાવ્યો...
#લેજીમના દાવો જોઈ લોકો મંત્રમુગ્ધ થયા...
#સ્વામિનારાયણ સંપ્રદાયનો ઐતિહાસિક ઉત્સવ એટલે શ્રીનરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ...
#narnarayan
#dev
#shri
#swaminarayan
#swaminarayankatha
#bhuj
#kutchkanoonandcrime
#દ્વિસતાતાબ્દિ
#mahotsav
#પોથી
#યાત્રા
#ભગવાન શ્રી સ્વામિનારાયણે ભુજ ખાતે શ્રીનરનારાયણ દેવ પધરાવી આપ્યા, એ નરનારાયણ દેવને 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેની ઉપલક્ષમાં તા.18થી ઉજવણીનો દબદબાભેર પ્રારંભ થઇ રહ્યો છે. તેની પૂર્વ સંધ્યાએ વિશાળ પોથી યાત્રા કાઢવામાં આવી હતી. જેનો પ્રારંભ એરપોર્ટ રોડ પ્રિન્સ રેસીડેન્સી સર્કલથી કરવામાં આવ્યો હતો અને તેનું સમાપન બદ્રીકાશ્રમ ખાતે કરવામાં આવ્યુ હતું. અંદાજીત બે કિમિ લાંબી આ પોથીયાત્રામાં 2000 પોથીઓ સાથે મોટી સંખ્યામાં NRI સહિતના હરિભક્તો જોડાયા હતા. જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સંગીતની સુરાવલી સાથે વાજતેગાજતે નીકળેલી પોથીયાત્રામાં કેન્યા અને યુકે પ્રદેશની બેન્ડ પાર્ટીએ કામણ પાથર્યા હતા. તો બાળકો અને યુવાનો દ્વારા રજુ કરવામાં આવેલા લેજીમના દાવએ પણ આકર્ષણનો ઉમેરો કર્યો હતો.
આ સિવાય ચાર ઘોડા સાથેના રથમાં બિરાજમાન નરનારાયણ દેવ, ગરુડ વાહન ઉપર મહંત સ્વામી આદિ સંતો, જયારે ફરતા કમળ ઉપર ભગવાન સ્વામિનારાયણના ફ્લોટે વધુ આકર્ષણ જગાવ્યું હતું.
પોથી યાત્રાના પ્રારંભમાં સંતો સાથે મોટી સંખ્યામાં લોકો ધજા સાથે જોડાતા રસ્તા ઉપર અનોખો માહોલ જોવા મળ્યો હતો.
#પોથીયાત્રાને બદ્રીકાશ્રમમાં સમાપન કરાયું હતું અને જય ઘોષ સાથે પોથી પધરવામાં આવી હતી. ત્યારે આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, લાલજી મહારાજ, મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપ મહંત ભગવદજીવન દાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી, સ્વામી સુકદેવસ્વરૂપ દાસજી, સ્વામી દેવચરણ દાસજી આદિ મોટી સંખ્યામાં સંતો હાજર રહ્યા હતા. આ પ્રસંગે સ્વાગત નૃત્ય ગીત અને પછી મહંત સ્વામી અને આચાર્ય મહારાશ્રીએ આશીર્વચન પાઠવ્યા હતા.