Рет қаралды 89
કવિ હરીશ મીનાશ્રુ આપણી ભાષાનું સંપ્રજ્ઞ સર્જનશીલ વ્યક્તિત્વ છે. એમણે એમના બાર જેટલા કાવ્યસંગ્રહોમાં આપણને ગીત, ગઝલ, અછાંદસ, છંદોબદ્ધ કાવ્યો, ગદ્યકાવ્ય જેવા અનેક કાવ્યપ્રકારોની રચનાઓ આપી છે. એમણે સંપાદનો અને ઉત્તમ અનુવાદો પણ કર્યા છે. એમને ૨૦૨૦ના વર્ષનું દિલ્હીની કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું ગુજરાતી ભાષા માટેનું સન્માન 'બનારસ ડાયરી' નિમિત્તે એનાયત થયું. એ ઉપરાંત સાહિત્ય અકાદમીનું અનુવાદ માટેનું પારિતોષિક , વલી ગુજરાતી એવોર્ડ, નરસિંહ મહેતા સન્માન, નિરંજન ભગત મેમોરિયલ એવોર્ડ, હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક, નર્મદ ચંદ્રક, કુસુમાંજલિ સન્માન વગેરે અનેક સન્માનોથી તેઓ વિભૂષિત છે.