Рет қаралды 34
ગાંડી ગીરમાં આવેલી સતાધાર ધામ.. અને ત્યાથી કાસીયાનેસ જઈએ.. અને ત્યાંથી આપણે વેરાવળ જઈએ.. અને કાસીયાનેસ ને એક સુંદર મજાનું આવેલું નેસડું છે.. એ જંગલની વચ્ચોવચ આવેલું અને ખૂબ જ ઘનઘોર ઝાડવા થી ભરપૂર છે અને ત્યાં નદીઓ પણ છે.. ત્યાં જંગલી પ્રાણીઓ એટલે કે હરણ મોર અને ક્યારેક ક્યારેક તો સિંહ પણ લટાર મારતા જોવા મળે છે.. કાસીયા નેસમાંથી આપણે વેરાવળ જવું હોય તો ત્યાંથી ટ્રેનનો ઉપયોગ કરવામાં આવે છે.. અને પોતાનું બાઈક અથવા તો ફોરવીલ વાહન હોય તો પણ જઈ શકે છે.. અને બેસ્ટ માં બેસ્ટ જો કોઈ પણ ટ્રાવેલિંગ હોય તો એ છે ટ્રેન.. કારણ કે જો આપણે ટ્રેન નો ઉપયોગ કરી અને વેરાવળ જઈએ તો પૂર્ણ ગીરનું દ્રશ્ય જોવા મળે છે અને ગીર કયા પ્રકારની છે તે પણ જોવા મળે છે.. અને ગીરમાં ચાલવાની પણ ખૂબ જ મજા આવે છે અને ગીરનું ઝાડવાઓ પ્રાણીઓ પશુઓ પક્ષીઓ જોઈને આપને ખૂબ જ આનંદ થાય છે.. એટલા માટે જ ટ્રેનની મુસાફરી કરવી એ ખૂબ જ સારી છે અને જીવનમાં એક આનંદ લેવા જેવી વાત છે