Рет қаралды 446
મહાત્મા ગાંધીની 155મી જન્મજયંતીએ ગાંધીજીનું પૂનઃ સ્મરણ અને પૂણ્ય સ્મરણ કરી શકાય તે માટે એક સુંદર પ્રદર્શન અમદાવાદની જાણીતી સંસ્થા એએમએ (અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન)માં યોજાયું. અમદાવાદસ્થિત જાણીતા વરિષ્ઠ પત્રકાર ધીમંત પુરોહિતે વર્ષોથી ગાંધીજી સંદર્ભે અનેક પ્રકારની કૃતિઓ અને ચીજ-વસ્તુઓનું કલેક્શન કર્યું છે. આ બધી કલા-કૃતિઓ અને ચીજ-વસ્તુઓ અત્યંત વ્યવસ્થિત રીતે આ પ્રદર્શનમાં રજૂ કરવામાં આવી. એમાં ટાઈમ મેગેઝિનમાં મહાત્મા ગાંધીની ત્રણ વખત કવરપેજ ઉપર જે તસવીરો પ્રકાશિત કરાઈ હતી તેનાં અસલ મુખપુષ્ઠ રજૂ કરવામાં આવ્યાં. તેમના વિશેની ટપાલ-ટિકિટો રજૂ કરાઈ. તેમના હસ્તાક્ષર તથા અલગ-અલગ અખબારોમાં વિશેષ ઘટના સંદર્ભે તેમના વિશે જે નોંધ આવી તે નોંધ અને વિશેષ કરીને જે ચરખા પર તેઓ વણાટ કરતાં શીખ્યા હતા એ અસલ ચરખો પણ અહીં રજૂ કરવામાં આવ્યો. આ એક એવું પ્રદર્શન કે જેમાં ગાંધીવિચાર, ગાંધીજીનું જીવન અને કવન આપણને અનુભવવા માળે. ધીમંત પુરોહિતનો સંપર્ક નંબર 98798 10101 છે
Video shoot and edited by Tushar Leuva
Facebook: ramesh.tanna.5
#PositiveStorieswithRameshTanna #RameshTanna #navisavar