Рет қаралды 332
આજ રોજ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ના સંતો એ સ્વચ્છ મહુવા -પ્લાસ્ટિક મુક્ત મહુવા વ્યસન મૂક્ત મહુવા અભિયાન અંતર્ગત મહારેલી માં જોડાયા હતા પીડીલાઈટ કંપની દ્વારા આયોજિત આ મહારેલી માં સાથે જૈન સંઘ ના સાહેબ શ્રી ઓ ની પણ હાજરી હતી તેમજ મહુવા APMC ના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ પટેલ , પીડીલાઈટ કંપની ના પ્રોજેક્ટ હેડ યોગેશભાઈ મેહતા આદિક અનેક અગ્રણીઓ એ આ મહારેલી માં ભાગ લીધો હતો અને મંદિર સાથે જોડાયેલ ભક્તો પણ આ મહારેલી માં જોડાયા હતા ...જેણે ફરી એક વાર મિશાલ કરી છે કે સ્વામિનારાયણ સંપ્રદાય આદ્યત્મિકતા સાથે સાથે સમાજ કલ્યાણ તથા સમાજ સુધારા માં પણ પોતાનું આગવું સ્થાન ધરાવે છે અને જયારે જયારે મહુવા ને જરૂર પડશે આ સંપ્રદાય હંમેશા ખડે પગે ઉભો રેહશે અને સ્વામિનારાયણ સંપ્રદાય એ પણ સનાતન સંપ્રદાય નો એક ભાગ છે હિન્દુત્વ નો એક ભાગ છે તેવુ પુરવાર કર્યું છે...મહુવા જે પી પારેખ હાઈસ્કૂલ થી મહુવા પારેખ કોલેજ સુધી સંતો એ પગ પાળા ચાલી સંપૂર્ણ મહારેલી માં જોડાયા હતા અને મંગલ ઉદબોધન આપ્યું હતું..