Рет қаралды 99,658
#TJvlogs#Gujarat#TJGujarati
આજે આપણે આ જ સ્થળ વિષે વાત કરવાના છીએ આમ તો ગીરની અંદર આવેલ દરેક સ્થળ પ્રકૃતિની નજીક છે પરંતુ તુલશીશ્યામ ની વાત જ નિરાલી છે. તુલશીશ્યામ અમરેલી થી ૪૫ કિમી દુર અને જુનાગઢ થી ૧૨૩ કિમી ઉના તાલુકામાં આવેલું છે. તુલશીશ્યામ શ્રી કૃષ્ણના શામળિયા સ્વરૂપનું મંદિર છે. અહિયા રાત રોકવાની વ્યવસ્થા પણ છે. જુનાગઢ થી સતાધાર રસ્તે તુલશીશ્યામ પહોંચી શકાય તો ઉના થી પણ કોડીનાર થઇ તુલસી શ્યામ પહોંચી શકાય છે. ગાઢ જંગલ અને ગિરિઓની વચ્ચે આવેલ આ ધાર્મિક સ્થળ ઉપરાંત પ્રયત્ન સ્થળ તરીકે જાણીતી છે.
તુલસી શ્યામ મંદિરના પટાંગણમાં આવેલ ગરમ પાણીના કુંડ પ્રવાસીઓ માટે સૌથી રહસ્યમય અને કુતુહુલ ઉભું કરે છે . આસપાસ ના જંગલોમાં વહેતી નદીઓ માં સતત ઠંડા પાણી વહી રહ્યા છે અને આ સ્થળે આવેલ આ કુંડ માં ગરમ પાણી એ પણ વરાળ નીકળતું સૌ કોઈ માટે કુતુહલ ઉભું કરે છે. અહી આવતા ધમ્રિક યાત્રાળુઓ પહેલા અહી સ્નાન કરે છે અને પછી જ મંદિર માં પ્રવેશ કરે છે. સતત ગરમ પાણીના કુંડ માં લોકો ચોખાની પોટલી પધરાવી ભાત પકવે છે અને પ્રસાદી રૂપે ઘરે લઇ જાય છે.
કહેવાય છે કે આ ગરમ પાણીના કુંડ દેશભરમાં અનેક જગ્યાઓ પર જોવા મળે છે જેમ કે કેદારનાથમાં આવેલ ગૌરી કુંડ યમ્નોત્રીમાં આવેલ ગરમ પાણીના કુંડ લોકો માટે આશ્રય અને કુતુહુલ ઉભું કરે છે જો કે આ પાછળ સાયન્ટીફીક કારણ જવાબદાર છે . વાસ્તવમાં તુલસી શ્યામ જે જગ્યા પર છે તેના પેટાળમાં સલ્ફર તત્વનું પ્રમાણ ખુબ જ વધુ છે સલ્ફર સક્રિય તત્વ છે જેના કારણે પૃથ્વીના પેટાળમાં રહેલું પાણી ગરમ થાય છે એના કારણે જ કુંડમાં સ્ફૂરતા પાણીના ઝરા ગરમ હોય છે .
તુલસીશ્યામ જંગલમાં આવેલ સૌથી વધુ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ ધરાવતું સ્થળ છે. કે જ્યાં ઢાળ વાળા રસ્તા પર કોઈપણ ઇંધણ કે ચાલક ન હોય તો પણ ને બ્રેક વગર ગાડી એમ જ ચાલતી જાય છે. અહી જમીનમાં એટલું ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ હોવાના કારણે અહીથી પસાર થતી ગાડીને જકડી રાખે છે. જે અહી આવતા પ્રવાસીઓ માટે રહસ્યમય ઘટના અને અનુભવ થાય છે.
દીવ નાઈટલાઈફ 31 ડિસેમ્બર
• દીવ નાઇટલાઈફ | ૩૧ Dece...
દીવ ડે લાઈફ
• દીવમાં જલસો | ચાલો દીવ...
ગિરનાર રોપ વે
• દીવમાં જલસો | ચાલો દીવ...
સક્કરબાગ ઝુ જૂનાગઢ
• Sakkarbaug Zoo Junagad...
મહાત્મા ગાંધી મ્યુઝિયમ રાજકોટ
• મહાત્મા ગાંધી મ્યુઝિયમ...
પ્રદ્યુમ્ન પાર્ક રાજકોટ
• Pradyuman Park Rajkot ...
તુલસીશ્યામ ગરમ પાણીના કુંડ
• તુલસીશ્યામ મંદિર | ગરમ...