Рет қаралды 244,977
મોરબી તાલુકાના પીપળીયા ગામે રહેતા કાંતિભાઈ મુછડીયા આગામી તારીખ ૨૮ના રોજ સવારે સાડા નવ વાગ્યાથી પોણા દસ વાગ્યાના સમયગાળામાં પોતાના પીપળીયા ગામ પાસે તળાવના કાંઠે અગાઉ જ્યા એક મહાનુભાવે સમાધિ લીધેલ છે ત્યાં તેની બાજુમાં જ કાંતિભાઈ પણ જીવતા સમાધી લેવાની છે તેવી આગાહી તેમણે કરેલ છે અને હાલમાં તેઓના પરિવારજનો, ગ્રામજનો અને વહીવટી તંત્ર દ્વારા તેમને સમાધી ન લેવા માટે ખૂબ જ સમજાવી રહ્યા છે પરંતુ તેઓનું કહેવું છે કે વર્ષો પહેલા જ્યારે તેમને હડકાયું કૂતરું કરડ્યું હતું ત્યારે દવા કે દુઆ કશું જ કામ કરતા ન હતા ત્યારે તે જોડિયા તાલુકામાં આવતા જામ દુધાઈ ગામે આવેલ નવઘણ દાદાની સમાધિએ ગયા હતા અને તેમના આશીર્વાદથી તેમને હડકવાના રોગમાંથી મુક્તિ મળી હતી અને તેઓ મૃત્યુના મુખમાંથી બચી ગયા હતા અને તે સમયે નવઘણ દાદાએ તેઓનો જીવ બચાવ્યો હતો જો કે હવે નવઘણ દાદાએ તેઓના સપનામાં આવીને તેમનો હવે સમય પૂરો થયો છે તેવું કહ્યું છે જેથી તે જીવતા સમાધિ લેવાના છે જોકે હાલમાં તેને તેઓના પરિવારજનો અને વહીવટી તંત્ર દ્વારા સમાધિ ન લેવા માટે સમજાવવામાં આવી રહ્યા છે પરંતુ કાંતિભાઇ સમાધી લેવા માટે મક્કમ છે અને જો તે સમાધી નહી લે તો તેમનો અક્સમાત થશે અથવા તો સાપ કરડી જશે તેવુ કાંતિભાઈ મુછડિયા કહે છે