Рет қаралды 251
ઘણા લોકો એક જીવનમાં વાંચે નહીં એટલાં પુસ્તકો અને લેખો એમણે અત્યાર સુધી લખ્યા છે, સામાન્ય લોકોને જે કાર્યો સિદ્ધ કરવા સાત જન્મ પણ ઓછા પડે એટલું કામ એમણે એમના ૮૨ વર્ષના જીવનકાળમાં કર્યું છે અને આજે પણ એટલી જ ઊર્જાથી તેઓ કાર્યરત છે. આ વ્યક્તિ તે અમદાવાદના ડો કુમારપાળ દેસાઈ. એમણે પદ્ય સિવાયના તમામ સાહિત્ય પ્રકારોમાં ઉત્તમ પ્રદાન કર્યું છે, એમનાં પુસ્તકોના અંગ્રેજી-હિન્દી અનુવાદો થયા છે, ઉપરાંત ગુજરાતી ભાષા-સાહિત્યના અધ્યાપન ક્ષેત્રે પણ એમનો બહુમૂલ્ય ફાળો છે. ૧૧ વર્ષની વયે લેખનની શરૂઆત કરનાર ડો કુમારપાળ દેસાઈની વિશેષ રુચિ ધર્મ અને ચિંતનમાં છે, જૈનદર્શન વિશે અને સાહિત્યિક વિષયો પર લેખન ઉપરાંત તેઓ પ્રવચનો પણ કરે છે અને ગુજરાતી સંસ્કારિતાનું સંવર્ધન કરતી અજોડ સંસ્થા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની વિવિધલક્ષી પ્રવૃત્તિઓનું સંકલન અને સંચાલન કરે છે. એમને મળેલાં સન્માનોમાં પદ્મશ્રી, રણજીતરામ સુવર્ણચંદ્રક, કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો રાષ્ટ્રીય પુરસ્કાર, લંડનના સંસદભવનમાં એનાયત થયેલ અહિંસા એવોર્ડ વગેરેનો સમાવેશ થાય છે.