Рет қаралды 2,330
નવજીવન ટ્રસ્ટ આયોજિત ‘નવજીવન Talks’ માં માતૃવંદનાનો સુંદર ઉપક્રમ યોજાયો હતો. આદરણીય રઘુવીર ચૌધરી, રતિલાલ બોરીસાગર, વીનેશ અંતાણી અને મણિલાલ હ. પટેલ. આ સર્જકોએ પોતાના સર્જનમાં અને જીવનમાં એમની બાની હાજરી નોંધી અને શ્રોતાઓને પોતાની માડીઓના મુલકની મુલાકાત કરાવી. માતૃવંદના કાર્યક્રમ ખૂબ લાગણીસભર રહ્યો. ભીની આંખો, ગળે બાઝેલો ડૂમો, છાતીમાં ગુંગળાતો મુંઝારો અને સ્મરણોની અટારીએ સૌની માથે ફરતો બાનો પાલવ. વરસાદી આ સાંજ નવજીવન ટ્રસ્ટની સ્મૃતિમાં અમર થઈ ગઈ.
અહીં મુંબઈથી ખાસ પધાર્યાં હતા આદરણીય દીપક મહેતા.
૧૦૭ ચુનંદા સાહિત્યકારોએ પોતાની માતા વિશે સુંદર સ્મરણો જેમાં લખ્યા છે એ ‘માતૃવંદના’ પુસ્તકના તેઓ સંપાદક.
આદરણીય દીપક મહેતાએ પોતાનો સંપાદકીય અનુભવ વહેંચ્યો. પોતાની માતા વિશે સ્મરણલેખ લખવાથી શરૂં થયેલી યાત્રા અંતે પાંચ ભાગના પાંચ પુસ્તકોમાં ૧૦૭ માતાઓનો સ્મરણમેળો સુધી પહોંચી.
નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત અને દીપક મહેતા સંપાદિત ‘માતૃવંદના’ પુસ્તકના વધામણાં થયા. આ ચાર સર્જકોએ ૧૦૭ સર્જકોનું પ્રતિનિધિત્વ કર્યું. જે સર્જકો અને એમની માતાઓ સદેહે હાજર નથી એમને વંદન કરીએ છીએ. ઋણ સ્વીકારીએ છીએ.
‘માતૃવંદના’ પુસ્તકના પાંચ ભાગ છે. પાંચેય ભાગમાં પથરાયો છે ૧૦૭ જનેતાઓનો મમતા ભરેલો પાલવ.
પાંચ ભાગની કિંમત છે ₹ ૮૭૫
સ્વતંત્ર ભાગની કિંમત છે ₹ ૧૭૫.
આ પુસ્તક ઘરે બેઠા મેળવવા માટે આપ નવજીવન ટ્રસ્ટના વેચાણ વિભાગમાં મોબાઈલ નંબર - 8849593849 પર કોલ કરી શકો છો.
કુરિયરના માધ્યમથી પુસ્તક તમારા સુધી પહોંચી જશે. આપ આ નંબર પર ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકો છો.