Рет қаралды 1,341
બહુ ઓછા લોકો ગાંધીજીના કળાપ્રેમ વિશે જાણે છે. કળા વિશેના ગાંધીજીના વિચારો બહુ રસપ્રદ હતા. કળાકારો માટે બાપુના મનમાં અગાધ પ્રેમ અને સન્માન હતું. ગાંધીજી કળા વિશે શું માનતા, વિધવિધ કળાઓને ગાંધીજી કયા સંદર્ભમાં જોતા અને કળા સાથે ગાંધીજીનો સંબંધ કેવો હતો ? આ પ્રશ્નો સ્વાભાવિક છે. નવજીવન ટ્રસ્ટ આયોજિત ‘નવજીવન Talks’માં આ વિષય પર જાણીતા લેખિકા, કવયિત્રી અને અનુવાદક આદરણીય વર્ષા દાસનું ઉત્તમ વક્તવ્ય.