Рет қаралды 542
ગુજરાતી ભાષાના ગણમાન્ય સર્જક મનુભાઈ પંચોળી ‘દર્શક’ અને અનિલભાઈ શાહ વચ્ચેના પત્રવ્યવહારને સંપાદિત કરી નવજીવન ટ્રસ્ટે એક ઉત્તમ પુસ્તક પ્રકાશિત કર્યું છે, ‘બે પ્રાજ્ઞનો સંવાદ’. આ પુસ્તકના સંપાદક છે મનસુખ સલ્લા.
છ દાયકાની મૈત્રી આ પત્રોમાં ઝીલાઈ છે. ઈ.સ. ૧૯૪૨ માં ‘હિંદ છોડો’ ચળવળમાં ૧૭ વર્ષના અનિલ શાહને એક વર્ષની કેગ થઈ અને અહીં જેલમાં મનુભાઈ પંચોળી ‘દર્શક’ અને અનિલ શાહ વચ્ચે મિત્રતા થઈ.
અહીં આ પત્રોમાં વિશ્વ સાહિત્ય, ભારતીય સાહિત્ય, લોકભારતી સણોસરા, સમાજ અને અર્થતંત્ર તેમજ વહીવટ જેવા વિષયો વિશે નિરાંતે ગોઠડી થઈ છે. બે વિદ્વાનોએ એકબીજાને સામસામે લખેલા પત્રો એ સમય, સમાજ અને સાહિત્યનું દસ્તાવેજીકરણ છે. આ પુસ્તક વિશે સંપાદક મનસુખ સલ્લાએ તેમજ પત્રકાર અને લેખક પ્રકાશ ન. શાહે ભાવકો સાથે રસપ્રદ વાતો કરી. હર્ષદ ત્રિવેદી અને નિસર્ગ ત્રિવેદીએ બે પ્રાજ્ઞનો સંવાદ પુસ્તકમાંથી ચૂંટેલા પત્રોનું વાચિકમ્ કર્યું.